વાવાઝોડાથી ફિલિપાઇન્સમાં ભૂસ્ખલન, 15નાં મોત - ન્યૂઝ અપડેટ

હાલમાં બાવી વાવાઝોડું પેસિફિક મહાસાગરને પાર કરીને તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, હાલમાં બાવી વાવાઝોડું પેસિફિક મહાસાગરને પાર કરીને તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દક્ષિણ ફિલિપાઇન્સમાં આવેલા બાવી વાવાઝોડાને કારણે થયેલા ભૂસ્ખલનમાં કમસે કમ 15 લોકો માર્યા ગયા છે, જ્યારે પૂર્વ એશિયાના કેટલાક ભાગો વાવાઝોડું ત્રાટકી શકે છે.

ફિલિપાઇન્સમાં આવેલું આ વાવાઝોડું દાયકાઓના સૌથી શક્તિશાળી વાવાઝોડામાંનું એક માનવામાં આવે છે.

હાલમાં બાવી વાવાઝોડું પેસિફિક મહાસાગરને પાર કરીને તાઇવાન તરફ આગળ વધી રહ્યું છે.

શનિવારે દક્ષિણ-પૂર્વ ચીનમાં ત્રાટકતાં પહેલાં તાઇવાનના ઉત્તર અને પૂર્વ અને દૂરના જાપાની ટાપુઓ પર વરસાદ પડવાની ધારણા છે.

આ વાવાઝોડાને કારણે ડઝનબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે સમગ્ર પ્રદેશમાં શાળાઓ બંધ કરી દેવાઈ છે.

વાવાઝોડા પહેલાં રહેવાસીઓ પુરવઠાનો સ્ટોક કરી રહ્યા છે.

વાવાઝોડાને કારણે ફિલિપાઇન્સના મિંડાનાઓ ટાપુ પર ભૂસ્ખલન થયું અને રાતોરાત અનેક પરિવારો દટાઈ ગયા છે અને બચાવકારો હજુ પણ ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, સપ્તાહના અંતે દેશના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે.

ટાપુના સંરક્ષણ મંત્રાલય અનુસાર, રાહતકાર્યમાં મદદ માટે અંદાજે 29,000 સૈનિકોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

અગાઉ સમાચાર સંસ્થા રૉયટર્સના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જોરદાર પવન, મુશળધાર વરસાદ, ભૂસ્ખલન અને પૂર અંગે ચેતવણી આપી હતી.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી

પીએમ શહબાઝ શરીફે જણાવ્યું કે તેમણે પેઝેશ્કિયાન સાથે ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે શાંતિ જાળવી રાખવા માટે કૂટનીતિ જરૂરી છે

ઇમેજ સ્રોત, Arif Hudaverdi Yaman/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, પીએમ શહબાઝ શરીફે જણાવ્યું કે તેમણે પેઝેશ્કિયાન સાથે ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે શાંતિ જાળવી રાખવા માટે કૂટનીતિ જરૂરી છે

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે શુક્રવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાતચીત કરી છે. તેઓએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આની માહિતી આપી છે.

પીએમ શહબાઝ શરીફે જણાવ્યું કે તેમણે પેઝેશ્કિયાન સાથે ચર્ચા દરમિયાન એ વાત પર ભાર મૂક્યો કે શાંતિ જાળવી રાખવા માટે કૂટનીતિ જરૂરી છે.

શહબાઝ શરીફે શુક્રવારે મોડી રાતે ઍક્સ પોસ્ટમાં લખ્યું કે "આજે મેં મારા ભાઈ અને ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી છે. અમે બદલાતી સ્થિતિ પર ચર્ચા કરી અને એ વાત પર ભાર મૂક્યો કે હાલના મહિનાઓમાં મળેલી શાંતિ જાળવી રાખવા માટે સંયમ, વાતચીત અને કૂટનીતિ જરૂરી છે."

તેમણે લખ્યું, "મેં ફરી કહ્યું કે પાકિસ્તાન કાયમી શાંતિ માટે ઈમાનદાર અને સાચા મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવવા તૈયાર છે. અમે એ પણ નક્કી કર્યું કે ઇસ્લામાબાદની હાલની યાત્રા દરમિયાન દ્વિપક્ષીય સહયોગના એજન્ડાને આગળ વધારાશે."

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા અને યુદ્ધને સંપૂર્ણ રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન