BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ઇરાન યુદ્ધ : ભારતમાં દૂધ, ગૅસથી લઈને વિદેશ પ્રવાસ પણ મોંઘો, કઈ-કઈ વસ્તુઓના ભાવ વધ્યા?
અમેરિકન ડૉલર સામે રૂપિયાની વેલ્યૂ સતત ઘટતી જાય છે તેની કિંમત ગ્રાહકોએ ચુકવવી પડે છે. અત્યારે લગભગ દરેક આવશ્યક ચીજ મોંઘી થઈ છે એવું ફુગાવાના આંકડા પણ દર્શાવે છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ કેટલો થયો? - ન્યૂઝ અપડેટ
ઑઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરના વધારાની જાહેરાત કરી છે.
ઓમાન પાસે હુમલો થતાં ભારતીય જહાજ ડૂબ્યું, ભારત સરકારે શું કહ્યું?
ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળા એક જહાજ પર થયેલા હુમલાની નિંદા કરતાં તેને 'અસ્વીકાર્ય' ગણાવ્યો હતો.
વીડિયો, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા કરી હતી અપીલ, સુરતના લોકોએ શું કહ્યું?, અવધિ 4,06
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા, બિનજરૂરી વિદેશયાત્રા ટાળવા સહિતની અપીલ કરી હતી.
નીટની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ, એ પહેલાં મેડિકલના અભ્યાસ માટે પ્રવેશપ્રક્રિયા શું હતી?
નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, ત્રીજી મેના રોજ હાથ ધરવામાં આવેલી નીટની પરીક્ષા કેન્દ્ર સરકારની મંજૂરીને પગલે રદ કરી દેવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે પેપર લીક થઈ જતાં પરીક્ષા રદ કરી દેવાઈ છે. આ સંદર્ભમાં નીટની પરીક્ષા હાથ ધરતી એનટીએ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
એલપીજી ગ્રાહકોને 'તમારી વાર્ષિક આવક 10 લાખને પાર કરી ગઈ'ના મૅસેજ કેમ મળી રહ્યા છે?
રાંધણ ગૅસના ઘણા ગ્રાહકોના ફોન પર એ મુજબના સંદેશા આવી રહ્યા છે - "તમારી કુલ વાર્ષિક આવક દસ લાખ રૂપિયા કરતાં વધારે છે." આ પ્રકારના મૅસેજ મળતાં એવી આશંકા સેવાઈ રહી છે કે અમુક ચોક્કસ વાર્ષિક આવકના આધારે ગૅસ પરની સબસિડી હઠાવી દેવાશે.
કોઈને જમીન તો કોઈને રોકડા પૈસા, આ વિદ્યાર્થીઓ પર જાતભાતની ભેટોનો વરસાદ કેમ થઈ રહ્યો છે?
વિજયનગરમ જિલ્લાના મેરાકામુદીદમ મંડળમાં ગોપન્નાવલાસા જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે કાર્યરત સત્ય રાવ છ વિદ્યાર્થીઓને વિમાન દ્વારા પ્રવાસ પર લઈ ગયા.
મસ્જિદમાં મહિલાઓના પ્રવેશને લઈને ઇસ્લામ શું કહે છે અને તે નિયમને સુપ્રીમ કોર્ટમાં કોણે પડકાર્યો છે?
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સૂર્યકાંતના વડપણ હેઠળની નવ સભ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી થઈ રહી છે. મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ અંગેની યાચિકા યાસ્મિન ઝુબૈર પીરઝાદા દ્વારા દાખલ કરવામાં આવી છે.
ઈરાનના રસ્તે ભારતની અંગ્રેજ હકૂમતને ઉખાડી ફેંકવાની ગદર પાર્ટીની એ યોજના જે હકીકત બનતાં રહી ગઈ
પુસ્તક 'હિસ્ટરી ઑફ ધ ગદર પાર્ટી' અનુસાર, ગદર પાર્ટીએ ડૉક્ટર ખાનખોજે, બિશનદાસ કોચ્છડ નૂરમહલ, કિદારનાથ હરિયાણા (હોશિયારપુર જિલ્લો), ભાઈ બસંતસિંગ ચોંદા (પટિયાલા), ભાઈ હરનામસિંહ, ઋષિકેશ લઢ્ઢા (મહારાષ્ટ્ર) અને અમીન ચૌધરી (બંગાળ)ને મેસોપોટેમિયા (ઇરાક) અને ઈરાનમાં કામ કરવા માટે મોકલ્યા હતા.
શૉર્ટ વીડિયો
ભારત/વિદેશ
ઉત્તર પ્રદેશમાં આંધી-તોફાન અને વરસાદથી104 લોકોનાં મોત, ખરેખર હવામાનમાં શું થયું હતું?
ઉત્તર પ્રદેશમાં અચાનક હવામાનમાં પલટો આવતા ભારે નુકસાન થયું છે. વીજળી પડવાની અને આંધીની ઘટનાઓથી લગભગ 60 લોકો માર્યા ગયા છે.
સૂર્યમંડળના 'નવમા ગ્રહ'ના રહસ્યનો ઉકેલ શું હવે હાથવેંતમાં છે, તેના વિશે હજુ સુધી શું જાણવા મળ્યું?
કેટલાક ખગોળશાસ્ત્રીઓ માને છે કે સૂર્યમંડળના ગ્રહ તરીકેનો દરજ્જો ગુમાવી ચૂકેલા પ્લૂટો કરતા ઘણો મોટો નવમો ગ્રહ હોઈ શકે છે, આખરે તેની શોધ થવાની શક્યતા છે.
'અઢળક હીરાના પ્રકાશથી આંખ સામે અંધારું છવાઈ જતું', સોમનાથનો વૈભવ લૂંટવા જ્યારે ગઝની 30 હજાર સૈનિકો લઈને નીકળ્યો
ગુજરાતના પુનર્નિર્મિત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનનાં 75 વર્ષ પૂરાં થયા બાદ વડા પ્રધાન મોદીએ મંદિરમાં મહાપૂજા અને કુંભાભિષેક કર્યો. મોદીએ પોતાના સંબોધનમાં સોમનાથને ભારતની 'અતૂટ આસ્થા' અને 'સભ્યતાગત નિરંતરતા'નું પ્રતીક ગણાવ્યું.
ઈરાન યુદ્ધ : શું પાકિસ્તાને ઈરાની યુદ્ધવિમાનોને અમેરિકાથી બચાવવા માટે પોતાના ઍરબેઝ પર પાર્ક કરવાની આપી હતી પરવાનગી?
અમેરિકાની સીબીએસ ન્યૂઝે અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કર્યું હતું કે, એક તરફ પાકિસ્તાન, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ તે પોતાના ઍરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોને પાર્ક કરવાની મંજૂરી આપી રહ્યું છે. પાકિસ્તાને શું કહ્યું?
સત્તા માટે 100 વર્ષ પહેલાં લડાયેલું એ યુદ્ધ જેમાં 10 લાખથી વધુ લોકો માર્યા ગયા
આશરે એકાદ સૈકા પહેલાં થયેલી મેક્સિકન ક્રાંતિએ મેક્સિકોનો નકશો બદલી નાખ્યો હતો.
ગુજરાત : એક યુવાને પત્ની-બાળકીની હત્યા કરી તેમના મૃતદેહોને ઘરમાં દાટ્યા, સાત મહિના સુધી તે ઘરમાં જ રહ્યો, જમ્યો, પરંતુ આખરે.....
મહેસાણા જિલ્લાના વડનગરમાં ચોથી મેએ એક યુવાને સિવિલ હૉસ્પિટલ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી. પોલીસે જ્યારે તેના મૃતદેહની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે મૃતકે સાત મહિના અગાઉ પોતાની પત્ની અને બે વર્ષની દીકરીની હત્યા કરી હતી અને ઘરમાં જ તેમના મૃતદેહો દાટી દીધા હતા.
ઈરાન યુદ્ધ : ગુજરાતનું વહાણ ડૂબતાં સલાયાના નાવિકનું મૃત્યુ, 17 લોકોએ મોત સામે બાથ ભીડી
અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર સંયુક્ત રીતે હવાઈ હુમલા કરતા ફાટી નીકળેલા યુદ્ધમાં ગુજરાતના એક વહાણ પર હોર્મુઝની સામુદ્રધુનીમાં કથિત રીતે હુમલો થતા એક નાવિકનું મોત થયું છે અને અન્ય ચાર ઘાયલ થયા છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મૃત્યુ પામનાર નાવિકની દફનવિધિ દુબઈમાં જ કરવાનો તેના પરિવારે નિર્ણય લીધો છે.
સાપને એક સમયે પગ હતા, આજે નથી છતાં તે ઝડપથી કેવી રીતે દોડી શકે છે?
આપણે ઘણી વખત સાપને ગુપચુપ જમીન ઉપર આશ્ચર્યજનક ઝડપ અને સ્ફૂર્તિથી સરકતા, સહેલાઈથી ઝાડ ઉપર ચઢતા અને પાણીમાં તરતા જોઈએ છીએ. તેને પગ નથી છતાં તે આવું કેવી રીતે કરી શકે છે?
'મારા પુત્રને આંખે પાટા બાંધીને પોલીસે માર માર્યો', દલિત યુવાનનું કથિત રીતે કસ્ટડીમાં મોત, બે મહિનાથી મૃતદેહ નથી સ્વીકાર્યો
માર્ચ મહિનામાં 26 વર્ષીય દલિત યુવાનનું મોત થયું જેને પોલીસ કસ્ટડીમાં ત્રાસ અપાયો હતો તેવો આરોપ છે. પરિવારજનો દ્વારા હજુ સુધી તેનો મૃતદેહ સ્વીકારવામાં નથી આવ્યો.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ





























































