ઢીંગલાબાપા કોણ છે, જેની આદિવાસીઓ શોભાયાત્રા કાઢી પૂજા કરે છે

વીડિયો કૅપ્શન, ઢીંગલાબાપા કોણ છે, જેની આદિવાસીઓ શોભાયાત્રા કાઢી પૂજા કરે છે
ઢીંગલાબાપા કોણ છે, જેની આદિવાસીઓ શોભાયાત્રા કાઢી પૂજા કરે છે
પ્રકાશિત

નવસારીના આદિવાસી હળપતિ-રાઠોડ સમાજ દ્વારા છેલ્લાં લગભગ 100 વર્ષ કરતાં વધુ સમયથી ઢિંગલાબાપાની સ્થાપના કરવામાં આવે છે.

આની પાછળની વાયકા છે કે દાંડીવાડમાં પારસીઓની સંખ્યા નોંધપાત્ર હતી.

આદિવાસી હળપતિ-રાઠોડ સમાજના લોકો તેમનાં ઘરો અને ખેતરોમાં કામ કરતા. એવામાં કોઈ બીમારી ફાટી નીકળી, જેના કારણે આદિવાસીઓનાં મોત થઈ રહ્યાં હતાં.

લોકવાયકા એવી છે કે એવામાં 'એક પારસીને સપનું આવ્યું કે માનવ આકારનો ઢીંગલો બનાવી, તેની શોભાયાત્રા કાઢીને તેનું પૂર્ણા નદીમાં તેનું વિસર્જન કરવું.' ત્યારથી ચાલી આવતી આ પરંપરા શું છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન