You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#MalalaYousafzai : નોબેલ સન્માનિત મલાલા કાશ્મીર મુદ્દે કેમ ટ્રોલ થઈ રહ્યાં છે?
- વાંચવાનો સમય: 3 મિનિટ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ હટાવી લેવાના ભારત સરકારના નિર્ણયની ચર્ચા આંતરરાષ્ટ્રીય ફલક પર પણ થઈ રહી છે. યુએનનાં શાંતિદૂત અને નોબેલથી સન્માનિત મલાલા યુસુફઝાઈએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું છે, જેને લઈને સોશિયલ મીડિયામાં ઘણા પ્રતિભાવો આવી રહ્યા છે.
મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાન અને ભારત એમ બેઉ સ્થળોએ અલગઅલગ કારણોથી એમનાં નિવેદન પર ચર્ચા થઈ રહી છે.
મલાલાએ ટ્વિટર પર પોતાનું નિવેદન આપતાં લખ્યું છે કે, "કાશ્મીરના લોકો ત્યારથી સંઘર્ષમાં જીવી રહ્યા છે જ્યારે હું નાની હતી, જ્યારે મારાં માતા-પિતા નાના હતાં, જ્યારે દાદા-દાદી યુવાન હતાં. સાત દાયકા સુધી કાશ્મીરનાં બાળકો હિંસાની વચ્ચે મોટાં થયાં છે."
તેમણે આગળ લખ્યું છે કે, "આપણે સહન કરતાં રહેવાની કે એકબીજાને હાનિ પહોંચાડતાં રહેવાની કોઈ જરૂર નથી."
"આજે હું કાશ્મીરી બાળકો અને મહિલાઓ માટે ચિતિંત છું જેઓ હિંસાનો સૌથી વધુ ભોગ બની શકે છે અને આ સંઘર્ષમાં જેમને સૌથી વધુ નુકસાન પહોંચી શકે છે."
સાથે જ મલાલાએ નિવેદનમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી અને સંબંધિત અધિકારીઓ કાશ્મીરીઓની મદદ કરશે તેવી આશા વ્યક્ત કરી છે."
મલાલાના આ નિવેદન પર હકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ભારત અને પાકિસ્તાનમાં અલગઅલગ રીતે લોકો તેમના નિવેદન પર વાત કરી રહ્યા છે.
પ્રશાંત પટેલ ઉમરાવે લખ્યું છે કે, બલૂચિસ્તાનના લોકો પણ ત્યારથી સંઘર્ષમાં જીવી રહ્યા છે જ્યારે તમે નાના હતાં, તમારાં માતા-પિતા નાના હતાં અને તમારાં દાદા-દાદી યુવાન હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેવી જ રીતે પાકિસ્તાનમાં હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ જેવા લઘુમતી સમુદાયના લોકો પણ ત્યારથી પીડા સહન કરી રહ્યા છે અને હવે તો અંત તરફ છે.
તો માનક ગુપ્તાનું કહેવું છે કે મલાલા કાશ્મીરમાં ચાલી રહેલા પાકિસ્તાનપ્રેરિત ઉગ્રવાદ સામે એક પણ શબ્દ ન બોલ્યાં.
જેમણે પોતે ઉગ્રવાદનો સામનો કર્યો છે તેમનામાં ઉગ્રવાદ સામે બોલવા માટેની શક્તિ નથી. મલાલા તમે આદર ખોઈ બેઠાં.
આ સિવાય અંકિત જૈનનું કહેવું છે કે, તમે પાકિસ્તાનમાં લઘુમતીમાં રહેતા હિંદુઓ અને ખ્રિસ્તીઓના અધિકાર માટે નથી બોલતાં.
તમે પાકિસ્તાની આર્મી દ્વારા જેમની હત્યા કરાય છે તેવા બલૂચ લોકો માટે નથી બોલતાં. તમે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના લોકોના માનવાધિકાર માટે નથી બોલતાં.
મલાલા યુસુફઝાઈ તમે દંભી છો.
તારેક ફતેહે લખ્યું કે મલાલા બલૂચિસ્તાન માટે નથી બોલતાં તો તેનો દોષ તેમને ન આપો.
મેહવાશ ઐજાઝનું કહેવુ છે કે, 'તેઓ પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં ચાલી રહેલા અન્યાય સામે નિયમિતરીતે બોલતાં રહે છે.
સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો, અનુકૂળતાભર્યા બહાનાં પર નહીં.'
પાકિસ્તાનમાં પણ અનેક લોકો મલાલાએ પોતાનાં નિવેદનમાં ભારતનો ઉલ્લેખ કેમ ન કર્યો એની ચર્ચા કરી રહ્યાં છે. આ અંગે અહમેર નકવીએ લખ્યું કે મલાલાએ ભારતનો ઉલ્લેખ ન કરતાં પાકિસ્તાનના લોકો અપસેટ છે કે એમનું નિવેદન તટસ્થ કેમ છે.
આ એનાં કારણે છે કેમ કે આપણે કાશ્મીરને આપણી સંપત્તિ ગણીએ છીએ અને કાશ્મીરીઓની ભાગ્યે જ દરકાર કરીએ છીએ. મલાલાનું નિવેદન ફક્ત કાશ્મીરીઓ અંગે છે એથી લોકો ગુસ્સામાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો